વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી

વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા.

અમદાવાદની સ્કૂલોને મળી બોમ્બની ધમકી
અમળેટમ માહિતી મુજબ, નીચેની સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી:
– DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
– એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
– A વન સ્કૂલ, સેટેલાઇટ
ધમકી મળતા જ, સ્કૂલો ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી.

વડોદરાની સ્કૂલો ખાલી કરાવી
– ડી.આર.અમિન
– ઉર્મિ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ
– નાલંદા સ્કૂલ
ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી, સમગ્ર કેમ્પસ પર પોલીસ કબ્જો રાખ્યો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરી.

પોલીસની તપાસ અને સલામતી પગલાં હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરક્ષા પગલાં તરીકે સમગ્ર પરિસરમાં તપાસ ચાલુ છે. ધમકી કોણે અને શા માટે આપી તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ચિંતા વચ્ચે, પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

આ બનાવને પગલે વાલીઓમાં ચિંતા જોવા મળી છે, ત્યારે પોલીસ અને સુરક્ષા ટીમોએ તાત્કાલીક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડ્યાં છે. હાલ તપાસ ચાલુ છે અને શાળાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું…

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર…