ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે હાલમાં દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને “ટીમ ઈન્ડિયા” તરીકે મળીને કામ કરવાની અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંકલિત પ્રયાસોથી દેશ આ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકશે.

સરકારની પ્રાથમિકતાઓ શું?
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ અંગે વિગત આપી. તેમાં આર્થિક અને વેપારિક સ્થિરતા જાળવવી, ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, નાગરિકોના હિતોની રક્ષા કરવી અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી સામેલ છે. તેમણે રાજ્યોને ખાસ સૂચના આપી કે જરૂરી વસ્તુઓની સપ્લાય ચેઈન સુચારુ રાખવામાં આવે અને સંગ્રહખોરી તથા નફાખોરી સામે કડક પગલાં લેવાય.

કૃષિ ક્ષેત્ર માટે ખાસ સૂચનો
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં આગોતરા આયોજન પર પણ ભાર મૂક્યો. ખાસ કરીને ખાતરોના પૂરતા જથ્થા અને તેના વિતરણ પર નજર રાખવાની જરૂરિયાત દર્શાવી. તેમણે કહ્યું કે ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સંકલન જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

જમ્મુ કાશ્મીર નજીક ભીષણ હિમસ્ખલન: 6 પ્રવાસીઓનાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લા માં શુક્રવારે ભયાનક હિમસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. શ્રીનગર-લેહ હાઇવે પર આવેલા જોઝિલા દર્રા નજીક ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભારે બરફ ખાબકતા 6 પ્રવાસીઓનાં કરુણ મોત નિપજ્યા…

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…