હિમાચલ પ્રદેશમાં ભયંકર અકસ્માત: કાર 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2 શ્રદ્ધાળુઓનાં મોત

હિમાચલ પ્રદેશ ના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ડરામણો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પંજાબના બે શ્રદ્ધાળુઓનાં કરુણ મોત થયા છે. આ ઘટના ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં બની હતી, જ્યાં એક કાર આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ અને બાદમાં તેમાં આગ લાગી ગઈ.

મળતી માહિતી મુજબ, લુધિયાણા પાસિંગની કાર ચિંતપૂર્ણી મંદિરે દર્શન કરીને મુબારકપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટાયર ફાટતા ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પૂરઝડપે હવામાં ઉછળી અને સીધી ખીણમાં પડી ગઈ.

અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારને હવામાં ઉછળતી અને પછી ખીણમાં ખાબકતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નીચે પડ્યા બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર બંને લોકો જીવતા જ દાઝી ગયા.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંનેને બચાવી શકાયા નહોતા. મૃતકોમાં એકની ઓળખ પંકુ તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર બ્લેક સ્પોટ તરીકે ઓળખાય છે. અહીં રસ્તાનો ભાગ નુકસાનગ્રસ્ત છે અને નીચે ઊંડી ખીણ હોવાથી અકસ્માતનો ખતરો હંમેશા રહે છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે મૃતક પંકુ લુધિયાણાના ગોપાલ નગર વિસ્તારમાં રહેતો હતો. અકસ્માતના થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું— “એક દિવસ હું મરી જઈશ, અને મને મારો ભાઈ કાંધ આપશે…”

 

 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…