થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ કેરળ વિધાનસભા ચૂંટણી જીતી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઐય્યરે તાજેતરમાં જ કહ્યું હતું કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી રહેશે. કોંગ્રેસે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. એક મીડિયા સાથે વાત કરતાં મણિશંકર ઐયરે પક્ષના નેતા પવન ખેરાના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી, તેમને કઠપૂતળી ગણાવ્યા. તેમણે કહ્યું, “પવન ખેરાએ બે વર્ષ પહેલાં કહ્યું હતું કે હું કોઈપણ રીતે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતો નથી. તેથી આ કંઈ નવું નથી. તે કોંગ્રેસની કઠપૂતળી છે, પ્રવક્તા નથી. તે એક હતાશ…







