Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ

સુરતથી ગોવા જવું હવે સરળ બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 30 માર્ચથી AI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઈટ ટેક ઓફ કરશે. અને સાંજે 7:30 કલાકે સુરતથી ટેક ઓફ થઈ 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. તો આ ફલાઈટનું સિંગલ ભાડું રૂપિયા 5800 હશે. તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું

એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 માર્ચથી સુરત-ગોવાની નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં વન સ્ટોપ લેશે, જેથી ફ્લાઈટ ચેન્જ નહીં કરવી પડશે. બેંગલુરુથી બપોરે 3:45 કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે 7:20 કલાકે પહોંચશે. જ્યારે પરતમાં 7:50 કલાકે ટેકઓફ થઈને બેંગલુરુ રાત્રે 11:25 કલાકે પહોંચાડશે.

સુરતથી મોરેશિયસ માટે હવે ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. હવે સુરત-મોરેશીયસ વાયા બેંગ્લુરૂની ફલાઈટ શરૂ થઈ છે. ઈન્ડિગો એરલાઈન્સ 4 ડિસેમ્બરથી આ ફ્લાઇટ ટેક ઓફ કરી હતી. સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

સુરતથી મોરેશિયસ પહોંચતા 14 કલાક જેટલો સમય લાગશે. આ સાથે સુરતથી બેંગ્લુરુનો ટ્રાવેલિંગ ટાઈમ 1 કલાક 50 મિનિટ હશે,બેંગ્લુરુ એરપોર્ટ પર 6 કલાક 25મિનિટનો લેઓવર ટાઇમ જ્યારે બેંગ્લુરુથી મોરેશિયસનો 5 કલાક 55 મિનિટનો ટ્રાવેલ ટાઇમ લાગશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *