SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે. અને સાંજે 5 વાગ્યે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન મોદીનો લીંબાયતમાં રોડ શો :- વડાપ્રધાન મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. જેમા રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અને નીલગીરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી જાહેરસભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે નવસારી જશે :- આવતીકાલે વડાપ્રધાન મોદી નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેશે. 8 તારીખે સુરત સર્કિટ હાઉસથી સવારે 10:55 વાગ્યે વડાપ્રધાન રવાના થશે અને 11:30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે. અને બપોરે 2 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ આવશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી

સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત :- વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દૃષ્ટિએ વડાપ્રધાનના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભાજપ 2026 Bihar Politics Big Shakeup : પ્રશાંત કિશોરની પ્રારંભિક લીડથી ભાજપ કેમ્પમાં ખળભળાટ, શું આ બિહારની નવી રાજનીતિનો સંકેત છે?

બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર ભાજપના ઉમેદવાર સામે લગભગ 5 હજાર મતોથી આગળ હોવાના અહેવાલો. જાણો ચૂંટણીનું રાજકીય મહત્વ, મતગણતરીના ટ્રેન્ડ અને તેની અસર. બાંકીપુર પેટાચૂંટણી પર સમગ્ર દેશની નજર બિહારની સૌથી ચર્ચાસ્પદ વિધાનસભા પેટાચૂંટણીઓમાંની એક ગણાતી બાંકીપુર બેઠકની મતગણતરી દરમિયાન મહત્વપૂર્ણ રાજકીય સંકેતો સામે આવી રહ્યા છે. શરૂઆતના રાઉન્ડથી જ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યા છે અને તાજા મતગણતરીના ટ્રેન્ડ મુજબ તેઓ ભાજપના ઉમેદવાર સામે લગભગ 5 હજાર મતોથી આગળ હોવાનું સામે આવ્યું છે. જોકે, અંતિમ પરિણામ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી માત્ર એક બેઠકની જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ બિહારની આગામી રાજકીય દિશા નક્કી કરી શકે તેવી મહત્વપૂર્ણ…

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *