SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન મોદી બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે. અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે. અને સાંજે 5 વાગ્યે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન મોદીનો લીંબાયતમાં રોડ શો :- વડાપ્રધાન મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. જેમા રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અને નીલગીરી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી જાહેરસભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે નવસારી જશે :- આવતીકાલે વડાપ્રધાન મોદી નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેશે. 8 તારીખે સુરત સર્કિટ હાઉસથી સવારે 10:55 વાગ્યે વડાપ્રધાન રવાના થશે અને 11:30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે. અને બપોરે 2 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ આવશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી

સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત :- વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દૃષ્ટિએ વડાપ્રધાનના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *