રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી

ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે.

તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.”

અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે. વધારાના સમયથી હજારો ખેડૂતોને લાભ મળશે અને તેઓ જરૂરી દસ્તાવેજો સાથે સરળતાથી અરજી પૂર્ણ કરી શકશે.

સરકારએ ખેડૂતોને અપીલ કરી છે કે વધારેલા સમયનો લાભ લઈ વહેલી તકે પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. ખેડૂત સંગઠનો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેને ખેડૂતો માટે રાહતરૂપ ગણાવવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…