કોડીનારના સિંધાજ ગામે સિંહ પરિવારની લટાર, જુઓ વીડિયો

શબ્બીર સેલોત, કોડીનાર / કોડીનાર તાલુકાના સિંધાજ ગામમાં ગત રાત્રિએ આઠ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં પ્રવાસ કર્યો હતો. ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહ પરિવારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટના ગીર જંગલની સરહદ નજીક આવેલા ગામમાં બની હતી .

CCTV ફૂટેજમાં સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંઓ સહિતનો આખો પરિવાર શાંતિપૂર્વક ગામની ગલીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ અચાનક આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ અવારનવાર ગીર જંગલની સીમા લાગતા ગામોમાં પ્રવેશ કરે છે. સિંધાજ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ પરિવારનું અસ્થાયી રહેણાંક બની ગયું છે, જ્યાં ગામની આસપાસના વિસ્તારોમાં સિંહો ધામા નાખી રહ્યા હોવાના અહેવાલો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ સક્રિય બન્યું હતું. વન વિભાગના ટ્રેકર અને ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા સિંહ પરિવાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે ગ્રામજનોને સિંહોને કોઈ પણ રીતે પજવણી ન કરવા, રાત્રિના સમયે બહાર ન નીકળવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરી છે.

સિંધાજ ગામમાં સિંહ પરિવારના આગમનથી સાવચેતી અને જાગૃતિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગીર વિસ્તારમાં માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનું વધુ એક ઉદાહરણ પૂરું પાડે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27…