PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા

વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી.

1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા

જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.આ સંગ્રહમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવી અગ્રણી હસ્તીઓ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે.તેમ પત્રમાં જણાવાયું હતું

PMMLએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ પત્રો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પ્રદાન કરે છે. આ કારણોસર, પીએમએમએલએ તેમને સંસ્થાના આર્કાઇવ્સમાં પાછા મોકલવાની માંગ કરી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો ‘નેહરુ પરિવાર’ માટે વ્યક્તિગત મહત્વ ધરાવે છે. PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીઓથી વિદ્વાનો અને સંશોધકોને ઘણો ફાયદો થશે.

ગાંધી પરિવાર પર ભાજપે નિશાન સાધ્યું

પીએમએમએલ દ્વારા પત્ર પરત માંગવામાં આવ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મને જે ખાસ રસપ્રદ લાગ્યું તે એ છે કે નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેના માટે આવી સેન્સરશિપની જરૂર પડી? શું રાહુલ ગાંધીએ આ પત્રો વાંચ્યા હશે?”

Related Posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય…

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *