ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ દેશને અભિનંદન પાઠવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,”મને આનંદ છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ ઉત્સાહ સાથે ઉજવવા આતુર છીએ.”
અમિત શાહે પણ અભિનંદન આપ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના અધિકાર માટે ભારત તરફથી બિડ જીતવા બદલ સમગ્ર દેશના નાગરિકોને અભિનંદન. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દાયકાથી વધુ મહેનતનો પરિણામ છે, જેના કારણે ભારત હવે વૈશ્વિક રમતગમત કેન્દ્ર બની રહ્યું છે.”
રમતગમત મંત્રીનો ભાવ
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું,”અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આપવાનું નિર્ણય ભારત માટે ગર્વની ક્ષણ છે. દેશ 2047 સુધી રમતગમતનું પાવરહાઉસ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ આયોજન ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત કરશે.”
કોમનવેલ્થ સ્પોર્ટ્સના અધ્યક્ષનું નિવેદન
કોમનવેલ્થ સ્પોર્ટ્સના અધ્યક્ષ ડૉ. ડોનાલ્ડ રુકારએ જણાવ્યું, “આ ગેમ્સ કોમનવેલ્થ સ્પોર્ટ માટે નવા સુવર્ણ યુગની શરૂઆત દર્શાવે છે. Ahmedabad 2030 ખાસ શતાબ્દી સંસ્કરણનું આયોજન કરશે, જે રમતગમતના દર્શકો માટે યાદગાર રહેશે.”
વિશ્વસ્તરીય પ્રતિસ્પર્ધા બાદ જીત
2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનો મુખ્ય મુકાબલો નાઇજીરીયા સાથે હતો, પરંતુ કોમનવેલ્થ ગેમ્સે આફ્રિકન દેશને 2034 માટે વિચારવાનો નિર્ણય કર્યો. આ સાથે ભારતને અંતિમ યજમાનપદ પ્રાપ્ત થયું.
ભારત માટે આ વિજય એ માત્ર ગૌરવની બાબત નથી, પરંતુ દેશના રમતગમતનું વિશ્વસ્તરીય માન્યતા પ્રાપ્ત કરવાની તક પણ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






