અમદાવાદમાં પાલતું રોટવીલરનો કહેર, 4 મહિનાની બાળકીનું કરુણ મોત

અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4 મહિનાની બાળકી પર તૂટ પડ્યું અને તેણે બાળકીને ફાડી નાંખી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું છે.

CCTVમાં કેદ દુર્ઘટના: યુવતી ફોનમાં ગૂમ, રોટવીલર છટકી ગયો
સોસાયટીના પાર્કિંગમાં થઈ હતી આ હ્રદયવિદ્રાવક ઘટના, જે CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની માસી રાત્રે લપસવા બહાર લાવ્યા હતા ત્યારે એક યુવતી ફોનમાં વાત કરતી હતી અને તેની પાસે શ્વાન હતો. શ્વાન લીસમાંથી છટકી ગયેલું હતું અને તરત જ માસી અને બાળકી પર હુમલો કરી દીધો હતો.

બાળકીને ફાડી ખાધી, માસીને ઈજાઓ
શ્વાનના અચાનક હુમલાથી બાળકી તેની માસીના હાથમાંથી નીચે પડી ગઈ. આ દરમિયાન રોટવાઈલર શ્વાને બાળકી પર વારંવાર હુમલો કરીને ફાડી નાંખી હતી. બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે માસીને પણ ઘાયલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

AMCએ શ્વાનનો કબજો લીધો, રજિસ્ટ્રેશન નહોતું
જ્યાં આ શ્વાન રાખવામાં આવ્યો હતો, તે પાલતુ રોટવાઈલર AMCમાં રજિસ્ટર પણ કરાવવામાં આવ્યો ન હતો. Ahmedabad Municipal Corporation (AMC)ના CNCD વિભાગે તરત જ પગલાં લઈ શ્વાનનો કબજો લીધો છે અને તેને વેલનેસ સેન્ટર ખાતે રાખીને હેલ્થ ચેકઅપ અને મોનિટરિંગ શરૂ કર્યું છે.

અગાઉ પણ હુમલાની ઘટનાઓ
સોસાયટીના સભ્યો મુજબ, આ રોટવાઈલર અગાઉ પણ અન્ય રહીશો પર હુમલો કરી ચૂક્યું છે. હિનાબેન નામની મહિલાને અગાઉ આ જ શ્વાને ઈજા પહોંચાડી હતી, અને ત્યાર બાદ સોસાયટીના સભ્યોે શ્વાન સામે વાંધો દર્શાવ્યો હતો. હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે.

કાયદેસર પગલાં અને જવાબદારી
તકરાર બાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદેસર રીતે, આ ઘટના “બેદરકારીથી મોત” (IPC 304A) તરીકે ગણવામાં આવી શકે છે, જે હેઠળ શ્વાનના માલિક સામે અદાલતી કાર્યવાહી, દંડ અને 2 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. તદુપરાંત, જો શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન ન હોય તો શહેરના પાલતુ પ્રાણી ધારક નિયમો મુજબ વધુ કાયદેસર કાર્યવાહી પણ AMC દ્વારા હાથ ધરાઈ શકે છે.

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *