અમદાવાદમાં પાલતું રોટવીલરનો કહેર, 4 મહિનાની બાળકીનું કરુણ મોત

અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4 મહિનાની બાળકી પર તૂટ પડ્યું અને તેણે બાળકીને ફાડી નાંખી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું છે.

CCTVમાં કેદ દુર્ઘટના: યુવતી ફોનમાં ગૂમ, રોટવીલર છટકી ગયો
સોસાયટીના પાર્કિંગમાં થઈ હતી આ હ્રદયવિદ્રાવક ઘટના, જે CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની માસી રાત્રે લપસવા બહાર લાવ્યા હતા ત્યારે એક યુવતી ફોનમાં વાત કરતી હતી અને તેની પાસે શ્વાન હતો. શ્વાન લીસમાંથી છટકી ગયેલું હતું અને તરત જ માસી અને બાળકી પર હુમલો કરી દીધો હતો.

બાળકીને ફાડી ખાધી, માસીને ઈજાઓ
શ્વાનના અચાનક હુમલાથી બાળકી તેની માસીના હાથમાંથી નીચે પડી ગઈ. આ દરમિયાન રોટવાઈલર શ્વાને બાળકી પર વારંવાર હુમલો કરીને ફાડી નાંખી હતી. બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે માસીને પણ ઘાયલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

AMCએ શ્વાનનો કબજો લીધો, રજિસ્ટ્રેશન નહોતું
જ્યાં આ શ્વાન રાખવામાં આવ્યો હતો, તે પાલતુ રોટવાઈલર AMCમાં રજિસ્ટર પણ કરાવવામાં આવ્યો ન હતો. Ahmedabad Municipal Corporation (AMC)ના CNCD વિભાગે તરત જ પગલાં લઈ શ્વાનનો કબજો લીધો છે અને તેને વેલનેસ સેન્ટર ખાતે રાખીને હેલ્થ ચેકઅપ અને મોનિટરિંગ શરૂ કર્યું છે.

અગાઉ પણ હુમલાની ઘટનાઓ
સોસાયટીના સભ્યો મુજબ, આ રોટવાઈલર અગાઉ પણ અન્ય રહીશો પર હુમલો કરી ચૂક્યું છે. હિનાબેન નામની મહિલાને અગાઉ આ જ શ્વાને ઈજા પહોંચાડી હતી, અને ત્યાર બાદ સોસાયટીના સભ્યોે શ્વાન સામે વાંધો દર્શાવ્યો હતો. હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે.

કાયદેસર પગલાં અને જવાબદારી
તકરાર બાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદેસર રીતે, આ ઘટના “બેદરકારીથી મોત” (IPC 304A) તરીકે ગણવામાં આવી શકે છે, જે હેઠળ શ્વાનના માલિક સામે અદાલતી કાર્યવાહી, દંડ અને 2 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. તદુપરાંત, જો શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન ન હોય તો શહેરના પાલતુ પ્રાણી ધારક નિયમો મુજબ વધુ કાયદેસર કાર્યવાહી પણ AMC દ્વારા હાથ ધરાઈ શકે છે.

Related Posts

“શું તમે જાણો છો? જગન્નાથજીનો એવો પ્રસાદ જે પૂજારીઓ પણ નથી ખાતા, જાણો તેનું દૈવી કારણ.”

જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય: એવો પ્રસાદ જે માણસો કે પૂજારી ક્યારેય ગ્રહણ નથી કરતા! ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ તેના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં બનતા ‘મહાપ્રસાદ’ની સુગંધ…

“શું તમે જાણો છો? જગન્નાથજીના રથની દોરડી પકડવી કેમ ગણાય છે મોક્ષનું સાધન?”

રથની દોરડીને કેમ માનવામાં આવે છે ‘મોક્ષનું સાધન’? જાણો રથયાત્રા પાછળનું સૌથી મોટું રહસ્ય અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે, ત્યારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *