મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે.

આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે.

શમીનો તીખો પ્રહાર
મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા ન્યૂઝ પોર્ટલ્સને મારી જગ્યાએ ખબર પડી ગઈ? લોકોના જીવ અને ઇમોશન્સ સાથે ન રમો. જો ખબર ન હોય તો દયા કરીને ખોટું છાપશો નહિ. મારા મોઢેથી બહાર ન આવ્યું હોય તો કંઈ પણ ન માનો.”

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *