પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે . પાકિસ્તાન પર એક બાદ એક આંકરા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. જેને લઈને હવે તેમણે ફેરવી તોળ્યું છે. હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આસિફે એમ પણ કહ્યું કે અમે ત્યારે જ પરમાણુ હુમલો કરીશું જ્યારે તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં હશે.
ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.’ જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. NIA આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. ભારતની કાર્યવાહી બાદ તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પરમાણુ હુમલાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાદ પાકિસ્તાની અખબાર Tribune.pk અનુસાર, આસિફે કહ્યું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે પરંતુ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જો “આપણા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે”. તેમના નિવેદનને ભારત ડરાવવાના પ્રયાસ બાદ પાછળ પડી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગ સહિત ઘણી સરકારી વેબસાઇટ્સને બનાવી નિશાન, કર્યું આ કાંડ
ખ્વાજા આસિફે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, “અમે અમારા દેશનું રક્ષણ કરવા તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી અમારા અસ્તિત્વ માટે સીધો પડકાર ન આવે ત્યાં સુધી અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં.” તેમના અગાઉના નિવેદનથી એવી છાપ પડી હતી કે પાકિસ્તાન ભારતીય કાર્યવાહીના ડરથી પરમાણુ વિકલ્પ પર વધુને વધુ વિચાર કરી રહ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







