સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સાથે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી છે. આ અપીલ પાછળ માત્ર બચત નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું મોટું આર્થિક ગણિત છુપાયેલું છે.

ભારત સોનાનો મોટો આયાતકાર
ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશમાં વપરાતું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે અને તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે. આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતે અંદાજે 72 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું હતું. આ અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 24 ટકા વધુ છે. દેશની કુલ આયાતમાં લગભગ 10 ટકા હિસ્સો માત્ર સોનાનો હોવાનું માનવામાં આવે છે.

સોનાની ખરીદી ઘટે તો શું ફાયદો?
આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો લોકો એક વર્ષ સુધી સોનાની ખરીદીમાં ઘટાડો કરે તો દેશના વિદેશી ચલણ ભંડાર પરનો દબાણ ઓછો થઈ શકે છે. જો સોનાની આયાતમાં 30થી 40 ટકા સુધી ઘટાડો થાય તો ભારત અંદાજે 20થી 25 બિલિયન ડોલર બચાવી શકે છે. આથી ડોલરની માંગ ઘટશે અને ભારતીય રૂપિયો વધુ મજબૂત બની શકે છે. સાથે જ બચેલા ડોલરનો ઉપયોગ ક્રૂડ ઓઈલ જેવી જરૂરી આયાત માટે કરી શકાય છે.

યુદ્ધના સમયમાં કેમ જરૂરી?
હાલ અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ઘણા સ્થળોએ તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પાર પહોંચી ગયા છે. આવા સમયમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનીને વધુ ખરીદી કરે છે. પરંતુ ભારત જેવા આયાત આધારિત દેશ માટે આ સ્થિતિ ડોલર પર વધુ દબાણ ઊભું કરે છે. જો સોનાની આયાત અને સાથે સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થાય તો દેશની વિદેશી ચલણ સ્થિતિ વધુ સ્થિર રહી શકે છે અને આર્થિક સંકટનો સામનો કરવો સરળ બને છે.

સામાન્ય લોકો માટે શું અર્થ?
સરકારનો મત છે કે હાલનો સમય સાવચેતી રાખવાનો છે. અનાવશ્યક ઇંધણ વપરાશ અને સોનાની ખરીદીમાં ઘટાડો કરીને સામાન્ય નાગરિક પણ દેશની આર્થિક સ્થિરતામાં યોગદાન આપી શકે છે. વિશ્લેષકોના મતે, જો વૈશ્વિક તણાવ લાંબો સમય ચાલે તો ભારત માટે ઊર્જા અને આયાત ખર્ચનું સંચાલન મોટો પડકાર બની શકે છે. તેથી સરકારે લોકોમાં આર્થિક જવાબદારી અને બચત અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

 

 

  • Related Posts

    વેનેઝુએલાના વિનાશક ભૂકંપમાં આર્જેન્ટિનાના ફૂટબોલર લુકાસ ટ્રેજોનો પરિવાર લાપતા, સોશિયલ મીડિયા પર મદદની અપીલ

    વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજોના પરિવારના લાપતા હોવાના અહેવાલોએ રમતજગતમાં ચિંતા ફેલાવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપ દરમિયાન તેમની પત્ની અને બે બાળકો જે રહેણાંક…

    અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: SIT તપાસમાં મોટો ખુલાસો, ચાંદીના હાર અને ઇંટોની ચોરીના દાવા ખોટા સાબિત

    અયોધ્યા રામ મંદિરને આપવામાં આવેલા ચાંદીના હાર, ચરણ પાદુકા અને ચાંદીની ઇંટો ગુમ થઈ હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ખોટા સાબિત કરવામાં આવ્યા…