Mahashivratri / મહાશિવરાત્રીના મેળામાં ભજનનો અનોખો રંગ, છેલ્લા 16 વર્ષથી લંડનથી આવે છે જૂનાગઢ

જૂનાગઢ/  સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે.

મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ. પ્રાણલાલ વ્યાસના શિષ્ય છે, આ સંદર્ભમાં તેઓ કહે છે કે, વર્ષ 2006માં હું પ્રથમવાર જૂનાગઢ આવ્યો ત્યારે ભજન પ્રત્યે લગાવ જાગ્યો હતો, એટલે ખાસ  સ્વ. પ્રાણલાલ વ્યાસે આપણા ભજનની સંસ્કૃતિ દેશ પરદેશની ભૂમિ સુધી પહોંચે તે માટે તેમણે ભજનની તાલીમ આપી હતી.

100થી વધુ દેશી અને પ્રાચીન ભજનો કંઠસ્થ
તેમણે કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી આવું છું અને ગુરુ શ્રી શેરનાથ બાપુની પ્રેરણાથી મેળામાં જુદા જુદા ઉતારાઓમાં પણ ભજન ગાયને વાણી પવિત્ર કરું છું. તેમને આપણા 100થી વધુ દેશી અને પ્રાચીન ભજનો કંઠસ્થ છે.

તેમણે સ્વ. પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખવાની એક વાત કરતા કહ્યું કે, સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ પાસેથી ભજન શીખી રહ્યો હતો, ત્યાં એક બારી હતી, ત્યાંથી ગિરનાર મહારાજના દર્શન થતાં અને તેને જોઈને શ્રદ્ધા ભાવ સાથે ભજન ગાવા માટે કહ્યું હતું, એટલે આજે પણ લંડનમાં ગિરનારી મહારાજનો ઘરે ફોટો રાખ્યો છે, એટલે જ્યારે પણ ભજન માટે બેસુ ત્યારે તેના દર્શન કરીને ભજન કરું છું. તેમણે એમ કહ્યું કે, ખાસ લંડનમાં ભારતીય તહેવાર કે અન્ય પ્રસંગોએ મંદિરોમાં જઈને ભજનના પ્રોગ્રામ આપું છું.

16 વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં આવે છે 
તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા 16 વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં આવું છું, પરંતુ આ વર્ષે મેળાનો માહોલ કંઈક અલગ જ છે, રાજ્ય સરકાર દ્વારા ભાવિકો માટે પૂરતી સુવિધાઓ કરવામાં આવી છે. ભાવિક ભક્તો પણ પુરા આનંદ સાથે મેળાને માણી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹ 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામોના…