Kheda : નડીયાદ ખાતે ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો દિવ્યાંગ સેવાનો કાર્યક્રમ, મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત

પ્રતિક ભટ્ટ, ખેડા/ નડીયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાનો કાર્યક્રમમાં યોજાયો.

આ કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ના સંતો અને ધારાસભ્યોએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.

નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ અર્પણ કરાયા
સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવ્યો.

મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત
આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા, ખેડા કલેક્ટર સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…