જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે.
1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વર્ષે કુલ 1,000 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
850 કર્મચારીઓ 24 કલાક કાર્યર
– જૂનાગઢ ઝોનના 850 કર્મચારીઓ 24 કલાક સેવા આપી રહ્યા છે. મેળા દરમિયાન:
– જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે 330 બસો દોડાવવામાં આવી છે.
– અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ સહિતના જિલ્લાઓ માટે વધારાની 500 બસો ફાળવવામાં આવી છે.
– જરૂર પડે તો વધારાની 75 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આધ્યાત્મિકતા અને વ્યવસ્થાનો સમન્વય
ભવનાથ ખાતે ચાલી રહેલો મહાશિવરાત્રી મેળો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સંસ્કૃતિ અને વ્યવસ્થાપનનો અનોખો મેળાપ સાબિત થઈ રહ્યો છે. લાખો ભક્તોની ઉપસ્થિતિ છતાં સુચારુ આયોજન અને તંત્રની સજ્જતાના કારણે યાત્રાળુઓને સુખદ અનુભવ મળી રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






