Jio, Airtel અને Viના યુઝર્સ માટે શરૂ થઈ આ ખાસ સર્વિસ, TRAIના નિર્દેશની જોવા મળી અસર

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જો આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ તમે કરી રહ્યા છો તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Jio, Airtel અને VI એ તેમના કરોડો યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર તેમના નેટવર્ક કવરેજ નકશા અપલોડ કર્યા છે.

થોડા સમય પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રાઈના આ નિર્દેશ પાછળનો હેતુ મોબાઈલ યુઝર્સ ને કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો હતો. જેને લઈ હવે ત્રણ કંપનીઑએ આ નકશા અપલોડ કર્યા છે.

ટેલિકોમ ટોકના એક અહેવાલ મુજબ, ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો જારી કરતી વખતે કહ્યું હતું કે સેવાની ગુણવત્તાના દૃષ્ટિકોણથી મોબાઇલ નેટવર્ક કવરેજની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક કવરેજ મેપ્સ ફીચરની મદદથી, યુઝર્સ સેવા લેતી વખતે વધુ સારો નિર્ણય લઈ શકશે. ટ્રાઈના આ નિર્દેશને અનુસરીને, નેટવર્ક કવરેજ મેપ્સ હવે Jio, Airtel અને VI દ્વારા લાઈવ કરવામાં આવ્યા છે.

યુઝર્સને થશે આ ફાયદો
Jio, Airtel અને VIનો નેટવર્ક કવરેજ નકશો હવે વેબસાઇટના ફૂટરમાં જોવા મળશે . હવે તમે તમારા સર્વિસ ઓપરેટરની નેટવર્ક સેવાને વિવિધ સ્થળોએ સરળતાથી ચકાસી શકો છો. જો તમે નવું સિમ ખરીદવા જઈ રહ્યા છો, તો હવે તમે અગાઉથી તપાસ કરી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ કંપનીના નેટવર્કમાં વધુ સારી કનેક્ટિવિટી છે.

આ રીતે ચેક કરો કવરેજ
એરટેલ તેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ મેપ પર 2G, 4G અને 5G કનેક્ટિવિટી ચેક કરવાનો ઓપ્શન મળી ગયો છે. જો તમે એરટેલ કંપનીનું સીમ કાર્ડ વાપરી રહ્યા છો તો તમારે airtel.in/wirelesscoverage/ ની પર ચેક કરી શકો છો. Jio માટે 4G+5G, 5G, અથવા 4G નેટવર્ક ચેક કરવાનો વિકલ્પ આપી રહી છે. જિયો યુઝર્સ એ jio.com/selfcare/coverage-map/ પર મેપ ચેક કરી શકો છો. જ્યારે VI યુઝર્સ myvi.in/vicoverage વેબસાઇટની મુલાકાત લઈને નેટવર્ક કવરેજ ચેક કરી શકો છો.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય…

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *