ભારત – પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાયરન વાગ્યા હતા. ત્યાર બાદ હવે જામનગરના કલેકટર કેતન ઠક્કરે રાત્રે 8 થી સવારના 6 સુધી બ્લેકઆઉટ જાહેર કર્યું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.10/525 ના રોજ રાત્રીના 8 કલાક થી આવતીકાલ તા.11/5/25 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
લોકોને કરી આ અપીલ
બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે બપોરે વાગ્યું હતું સાયરન
જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપત્કાલીન સ્થિતિ બાબતે બોપોરના સાયરન વગાડવામાં આવ્યું હતું. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અને કોઈપણ વ્યક્તિએ બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી છે. જામનગર કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ બંધ રાખી સહયોગ આપે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







