ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે

અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે.

અકસ્માત સમયે બ્રિજ પર હાજર હતો સાક્ષી
મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર મોટી ભીડ જોઈ તેઓ ત્યાં રોકાયા હતા. સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે રાત્રિના અંદાજે 1 વાગ્યા હતા.

બ્રેક માર્યા વગર કાર ભીડ પર ફરી વળી
સાક્ષીએ જણાવ્યું કે એસ.જી. હાઈવે તરફથી પૂરઝડપે આવતી લક્ઝુરિયસ જેગુઆર કારના ચાલકે કોઈ બ્રેક માર્યા વગર સીધી જ ભીડ પર ગાડી ચઢાવી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે તે પોતે પણ ઉછળી જઈ દૂર ફંગોળાઈ ગયો.

ગંભીર ઈજાઓ, કારમાં હતા પાંચ લોકો
અકસ્માતમાં સાક્ષીને બંને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવતા તેણે જોયું કે કારમાં બે યુવકો અને ત્રણ યુવતીઓ સવાર હતા. બાદમાં તેને ખબર પડી કે કાર ચલાવનાર તથ્ય પટેલ હતો.

પોલીસ અને હોમગાર્ડ સહિત 9 લોકોનાં મોત
સાક્ષીએ વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ સહિત કુલ 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ તેને અને તેના મિત્રને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની
આ સાક્ષીની જુબાની બાદ કેસ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. કોર્ટમાં આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની લેવાશે, જેના કારણે આરોપી તથ્ય પટેલ સામેની કાનૂની કાર્યવાહી વધુ કઠોર બની શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…