અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. અમેરિકી કોંગ્રેસના 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી આ ટેરિફ તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે.
ટ્રમ્પના ટેરિફનો ભારત અને અમેરિકી અર્થતંત્ર પર પ્રભાવ:
ટેરિફ પૃષ્ઠભૂમિ: ઓગસ્ટ 2025માં ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% વધારાના ટેરિફ લાગુ કર્યા હતા. પહેલાથી લાગૂ 25% સાથે આ દર હવે કુલ 50% થયો છે. લક્ષ્યાંકિત ચીજવસ્તુઓ: કપડાં, જ્વેલરી, જૂતા, રસાયણો અને ક્રીડા સામાન જેવા ઉત્પાદનો, જે ભારતની નિકાસનો મોટો હિસ્સો ધરાવે છે. અમેરિકન નાગરિકોને અસર: ટેરિફ વધતા અમેરિકન ગ્રાહકો અને ઉત્પાદકો પર ભાવવૃદ્ધિનો સીધો અસર થાય છે.
કોંગ્રેસનો વિરોધ – “ભારત સાથેના સંબંધો ન બગાડો”
ડેમોક્રેટિક સાંસદ રો ખન્ના અને ડેબોરા રોસ સહિત 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે,“આ પ્રકારની નીતિઓ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ સાથેના સંબંધોને તણાવપૂર્ણ બનાવે છે. આથી ટૂંક સમયમાં નિર્ણયમાં સુધારો લાવવો જોઈએ.”
ભારતનો જવાબ – ‘લક્ષ્મણ રેખા’ ઉભી કરી દીધી
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું કે,“અમે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરે. રશિયન તેલની ખરીદી અમારા રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે.” આ નિવેદનથી ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટેરિફથી દબાવ ન આવે.
અર્થશાસ્ત્રીઓની ચેતવણી
ભારતના નિકાસકારોને નુકસાન: ટેરિફના કારણે નિકાસમાં ઘટાડો થવાની આશંકા છે, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા નિકાસ આધારિત રાજ્યોમાં GPD વૃદ્ધિ પર અસર: ભારતીય જીડીપીમાં 0.2%થી 0.4% સુધી ઘટાડો થઈ શકે છે. વિયેતનામ અને મેક્સિકો જેવા દેશોને લાભ: આ બજારો ભારતની જગ્યાએ ઊભરતા સાબિત થઈ શકે છે.
ભવિષ્યમાં શું?
ભારતે હાલમાં પ્રતિટેરિફ ન લગાવવાનો નિર્ણય લીધો છે પરંતુ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેપાર વિવાદનો સમાધાન જરૂરી છે, નહીંતર તેનો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊંડો અસર થઈ શકે છે.








