જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ
જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન ટિકીટ બુકીંગની સુવિધા www.udankhatola.com વેબપોર્ટલ પર મળી રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે.…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *