દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો વિગત

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે શક્તિ વાવાઝોડું કમજોર પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યો છે.

વલસાડ, તાપી, ડાંગ અને સુરત સહિતના વિસ્તારોમાં 7 અને 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારે 2થી 6 દરમિયાન એક ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને નેશનલ હાઈવે 56 પર ધીમીધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે.

ખેતી અને ખેડૂતો પર સીધી અસર
ચોટીલા, ઉના અને મહુવા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. અત્યારે ઊભા પાક જેમ કે ડાંગર, શાકભાજી અને અન્ય વાવેતરને નુકસાન પહોંચવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

શરદ પૂર્ણિમાની ઉજવણીમાં ખલેલ
મહુવામાં શરદ પૂર્ણિમાની રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક બજારો અને ઘરોમાં ઉજવણીને અસર થઈ. ઉનામાં ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ ભીની થયા હતા અને લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી. ચોટીલામાં તો હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયાં હતાં.

વાતાવરણમાં પલટો: દરિયાકાંઠે એલર્ટ, સામાન્ય જીવન અસરગ્રસ્ત
હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોમાં DC-1 એલર્ટ જારી કર્યું છે અને આગામી 3-4 દિવસ વરસાદ ચાલુ રહી શકે છે. દિવાળીની તૈયારી કરતા પરિવારો તડકાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને બહાર દેખાઈ રહ્યાં છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હાલ હળવા વરસાદની આગાહી છે, જ્યારે ચોમાસું આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગની સૂચના
દક્ષિણ ગુજરાતના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને આગામી દિવસોમાં વધુ વરસાદ માટે સતર્ક રહેવા જણાવાયું છે. વરસાદી દિવસોમાં જળભરાવથી બચવા અને યાત્રા દરમિયાન સાવચેતી રાખવા હવામાન વિભાગની સૂચના છે.

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *