રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.15મી મે, 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.15મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

30 દિવસ વહેલું પાણી મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.15 જૂનને બદલે તા.15મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

13 લાખ ખેડૂતોને મળશે લાભ
આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે 13 લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક Urgent Rescue 2026

REPORTER : ANIL RAMANUJ પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક: 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત, બાળકી સહિત વૃદ્ધા પર હુમલાથી ભયનો માહોલ પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા Villageમાં વહેલી સવારે હિંસક વન્યપ્રાણીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રિના અંતિમ પહોરથી વહેલી સવાર સુધી એક અજાણ્યા પ્રાણીએ Villageના અલગ-અલગ વિસ્તારોમાં જઈને લોકો પર હુમલા કર્યા હતા. આ ઘટનામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે ધારપુરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ગંભીરતા એટલી હતી કે એક 7 વર્ષની બાળકીના ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એક વૃદ્ધા પર થયેલા…

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, Monsoon Magic 2026

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, વાદળછાયા માહોલ વચ્ચે ગરમીથી લોકોને મળી હાશકારો Ahmedabad: અમદાવાદમાં આજે, 30 ઓગસ્ટ 2026ના રોજ, હવામાનમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં પવનની ગતિ વધતાં અને વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત અનુભવાઈ રહી છે. હવામાનના તાજા આંકડા મુજબ Ahmedabadમાં હાલમાં તાપમાન આશરે 28-29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અવલોકન મુજબ સવારે 9:30 વાગ્યે તાપમાન 28°C, ભેજ 62% અને દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન આશરે 14.8 કિમી પ્રતિ કલાકની ઝડપે નોંધાયો હતો. હવામાનની આ સ્થિતિને કારણે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ અમદાવાદના નાગરિકોને વાતાવરણમાં હળવી રાહત અનુભવાઈ રહી છે. જોકે દિવસ દરમિયાન તાપમાન ફરી વધવાની શક્યતા છે અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *