ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે.
વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે.
કેમ યોજાશે પેટા ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ખાલી છે.વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ અને ભાજપમાં જોડાયા હતા. જેને લઈ વિસાવદર બેઠક ખાલી પડી છે. બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીની અવસાન થતાં કડી બેઠક ખાલી પડી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








