ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી.

શું બન્યું?
બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા.

બચાવ બાદની કામગીરી
હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ ચાલી રહી છે.

મોટું નાણાકીય નુકસાન
આ દુર્ઘટનામાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. માછીમારી સાધનો અને બોટના સમારકામ માટે મોટો ખર્ચ થવાનો છે. માછીમારો અને બોટ માલિકોએ સરકાર પાસે રાહત સહાયની માંગ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા અને ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નાતાન્ઝ પરમાણુ સુવિધા પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ભારે બોમ્બમારો કર્યો હતો. રાહતની વાત એ છે કે આ…

સૈનિક શાળાઓને લઈ રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

દેશની સંરક્ષણ તૈયારીઓ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને એક નવો પરિમાણ આપતા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોરાખલના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધતા, તેમણે દેશભરમાં…