ટ્વીશા શર્મા કેસમાં પરિવારને ઝટકો, બીજી વખત પોસ્ટમોર્ટમની અરજી કોર્ટે ફગાવી

ભોપાલની કોર્ટમાં ટ્વીશા શર્માના મોત મામલે બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે કરવામાં આવેલી અરજી નામંજૂર કરવામાં આવી છે. કોર્ટે અગાઉ આપવામાં આવેલા AIIMS Delhi ખાતે રી-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક વિશ્લેષણ સંબંધિત આદેશને રદ કરવાનો નિર્ણય લીધો છે.

કોર્ટમાં રજૂ થયેલી માહિતી મુજબ ટ્વીશા શર્માનો મૃતદેહ હાલમાં AIIMS ભોપાલની મોર્ચરીમાં -4°C તાપમાન પર રાખવામાં આવ્યો છે. જોકે AIIMS ભોપાલના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે -80°C તાપમાન જરૂરી બને છે. સાથે જ મધ્ય પ્રદેશમાં આવી અતિનિમ્ન તાપમાનની સુવિધા ઉપલબ્ધ નથી તેવી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.

કોર્ટે આ મામલે વધુ માહિતી મેળવવા માટે કટારા હિલ્સ પોલિસ સ્ટેશનના SHOને રાજ્યની વિવિધ મેડિકલ સંસ્થાઓમાં મૃતદેહ જાળવવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની તાત્કાલિક વિગતો એકત્રિત કરવાની સૂચના આપી છે. સાથે જ આ અંગેનો વિગતવાર રિપોર્ટ વહેલી તકે કોર્ટમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ ભોપાલ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પરિવાર જો બીજી વખત પોસ્ટમોર્ટમ કરાવવા ઈચ્છે તો પોલીસને કોઈ વાંધો નથી. પરિવાર દ્વારા AIIMS દિલ્હી ખાતે રી-પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે અંતિમ નિર્ણય કોર્ટના આગામી આદેશ પર નિર્ભર રહેશે. આ કેસને લઈને પરિવાર અને તપાસ એજન્સીઓ વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે, જ્યારે કોર્ટ સમગ્ર મામલાની કાનૂની પ્રક્રિયા પર નજર રાખી રહી છે.

 

 

 

  • Related Posts

    અમદાવાદમાં ડેંગ્યૂ-મલેરિયા સામે AMCનો મેગા એક્શન, ઘરેઘરે ફોગિંગ અભિયાન શરૂ 2026 Safety

    ચોમાસામાં વાહકજન્ય રોગચાળા સામે AMCની મેગા ફોગિંગ ડ્રાઇવ: અમદાવાદમાં ઘરેઘરે પહોંચી મચ્છર નિયંત્રણ માટે સઘન કામગીરી  AMC ફોગિંગ ડ્રાઇવ, અમદાવાદ સમાચાર, ડેંગ્યૂ નિયંત્રણ, મલેરિયા, ચિકનગુનિયા, AMC Health Department, Ahmedabad Fogging…

    દૂતાવાસ : ઈરાની જહાજ હુમલો: તમામ 28 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, દૂતાવાસની પુષ્ટિ Protected

    ઈરાની દરિયાઈ સીમામાં હુમલા બાદ મોટી રાહત: LPG ટેન્કર પરના તમામ 28 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, ભારતીય દૂતાવાસે કરી સત્તાવાર પુષ્ટિ ઈરાની દરિયાઈ સીમામાં હુમલાનો ભોગ બનેલા એલપીજી (LPG) ટેન્કરને…