ભારતએ મધ્ય-પૂર્વમાં વધતી તંગદિલી વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પરથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ફરી શરૂ કરવા માટે મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ કરી છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદ છતાં ભારતે ખાડી ક્ષેત્રમાંથી ઊર્જા સપ્લાય જાળવી રાખવા માટે વ્યૂહાત્મક આયોજન તૈયાર કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ મુજબ ભારતે મધ્ય-પૂર્વમાંથી કાર્ગો લાવવા માટે જહાજો મોકલવાની યોજના લગભગ પૂર્ણ કરી દીધી છે અને હવે માત્ર કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ જહાજો હોર્મુઝ જળમાર્ગ તરફ રવાના થઈ શકે છે.
હોર્મુઝ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે વપરાતા લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલનો જથ્થો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. પરંતુ અમેરિકા-ઈરાન તંગદિલી વધ્યા બાદ અહીં સુરક્ષા સંકટ ઊભું થતાં સપ્લાય ચેન પર ગંભીર અસર પડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જોકે અંતિમ સુરક્ષા મંજૂરી માટે Indian Navy અને કેન્દ્ર સરકારની સહમતિની રાહ જોવાઈ રહી છે.
ભારત માટે મધ્ય-પૂર્વમાંથી આવતો ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો અત્યંત મહત્વનો છે, કારણ કે દેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભર છે. યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે, જેનો સીધો પ્રભાવ ભારત પર પડી શકે છે.
ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી હોવા છતાં મધ્ય-પૂર્વમાંથી મળતું તેલ વધુ સસ્તુ અને ઝડપથી પહોંચતું વિકલ્પ માનવામાં આવે છે. વૈકલ્પિક માર્ગો વધુ ખર્ચાળ અને સમયલક્ષી બનતા ભારત ફરી હોર્મુઝ માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર ભારતીય નૌકાદળે ખાડી વિસ્તારમાં યુદ્ધ જહાજોની સંખ્યા પણ વધારી દીધી છે અને હવાઈ દેખરેખ વધુ મજબૂત બનાવાઈ છે. ભારતીય યુદ્ધ જહાજો વેપારી જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝ જળમાર્ગ પાર કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





