કર્ણાટક કેબિનેટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ (KTPP) એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નિર્ણય લીધો કે KTPP એક્ટ વર્તમાન વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા કરવામાં આવશે. આ કાયદામાં ફક્ત સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને અનામત આપવા માટે ફેરફારો કરવામાં આવ્યા છે. આ અનામતની મર્યાદા 4 ટકા રાખવાની છે. સૂત્રોના હવાલેથી આ માહિતી પ્રકાશમાં આવી છ.
આ પણ વાંચો :- તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા
શુક્રવારે (૧૪ માર્ચ) કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં વિધાનસભાના કેબિનેટ હોલમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ, 7 માર્ચે કર્ણાટક સરકારના બજેટની રજૂઆત દરમિયાન, મુસ્લિમોને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત આપવામાં આવશે તેની પુષ્ટિ કરવામાં આવી હતી.
૧ કરોડ રૂપિયા સુધીના ટેન્ડરમાં અનામત :- સરકારી વિભાગો, કોર્પોરેશનો અને સંસ્થાઓ હેઠળ માલ અને સેવાઓની ખરીદી માટે ૧ કરોડ રૂપિયા સુધીના ટેન્ડરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાય ત્રણ અલગ અલગ શ્રેણીઓ હેઠળ સપ્લાયર્સને અનામત આપવામાં આવશે. આમાં મુસ્લિમોને એક શ્રેણી હેઠળ સમાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ભાજપનો વાંધો :- જ્યારથી કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને અનામત આપવાની વાત કરી છે, ત્યારથી વિપક્ષી પાર્ટી ભાજપ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને ઘેરી રહી છે. ભાજપ ફરી એકવાર સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડી રહી છે. ઘણા ભાજપ નેતાઓએ પણ રાજ્ય કોંગ્રેસ સરકારના આ પગલાને હિન્દુ વિરોધી ગણાવ્યું છે. જોકે, આ છતાં, સિદ્ધારમૈયા સરકારે પોતાનું વચન પાળ્યું અને કેબિનેટે મુસ્લિમ અનામતનો માર્ગ તૈયાર કર્યો.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








