Rajkot : રાજકોટ હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ

રાજકોટમાં હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ધુળેટીના દિવસે શુક્રવાર હોવાથી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે.

આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ :- હોળી અને ધુળેટી સાથે શુક્રવારની નમાઝને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. હોળી-ધુળેટી પર્વને લઇ હેડક્વાર્ટર સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG એલસીબી સહિતની બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. ધુળેટી પર્વ ઉપર સોશિયલ મીડિયામાં આવતા મેસેજ ઉપર પણ નજર રાખવામાં આવશે. ગૌરવપથ સહિતના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓ ઉજવણીના આયોજન ઉપર ખાસ નજર રહેશે. તેમજ અનિચ્છિય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો :- Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

રાજકોટ પોલીસનું જાહેરનામું :- રાજકોટ પોલીસ કમિશનરે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પાણીના ફુગ્ગા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ મુજબ, જાહેર રસ્તાઓ પર રાહદારીઓ પર રંગ, ફુગ્ગા કે તેલયુક્ત પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ છે. વધુમાં રંગોના તહેવાર દરમિયાન મહિલાઓ, બાળકો અને રાહદારીઓ પર રંગો અથવા પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકવા પર સખત પ્રતિબંધ છે. હોળી અને ધૂળેટી બંને દિવસે પોલીસ પેટ્રોલિંગ કરશે. ગેંગ બનાવીને અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *