Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે.

આ પણ વાંચો :- Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ

મહત્વનું છે કે, ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ડિમોલિશનની કામગીરીને લઇ માળીયાના મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો કરેલી જગ્યામાં ખડકી દેવામાં આવેલા પાકા મકાન ઉપર જેસીબી અને હીટાચી મશીન ફેરવી દઈને દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.

આ પણ વાંચો :- Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ

ઉલ્લેખનિય છે કે, મોરબીના માળીયા મિયાણાના ખરાઈ ગામે રેડ કરવામાં ગયેલી પોલીસની ટીમ પર બુટલેગર અને તેના પરિવાર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જેમાં 6 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરનું ગેરકાયદેસર મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. બુટલેગરનું આ મકાન સરકારી જમીનમાં ઊભું કરવામાં આવ્યું હતું જેના પર આજે બુલડોઝર ફરી વળ્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *