B INDIA સુરત : સુરતનો હીરા ઉદ્યોગમાં મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. જેના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરંતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…
સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી.
આ પણ વાંચો :- Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું
આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકરોના વધતા આપઘાતના બનાવને લઇ રત્નકલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે. સુરતનો હીરા ઉદ્યોગમાં ભારે મદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્નકલાકરો માગ કરી રહ્યા છે. જો અમારી માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






