કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા રાજીવ ગાંધી ભવન જશે. અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે.
મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી કોઈ કાર્યકર્તાના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા છે. પ્રથમ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય પદાધિકારીઓ હાજર રહેશે. બપોરે ભોજન સાથે બેઠક, સાંજે પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા, અને શનિવારે વિશ્વાસુ કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ યોજાશે. સલામતીના કારણોસર, તેમના કાર્યક્રમ સ્થળની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
8 માર્ચ, 2025ના રોજ એટલે કે, મહિલા દિને સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન હાલ નબળું છે, જેનાથી પાર્ટીને મોટા રાજકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટી સંગઠનમાં પ્રોફેશનલ ટચ આપવા માટે રણનીતિ ઘડી રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા, સંગઠનને મજબૂત બનાવવા રાહુલ ગાંધી ગુજરાતમાં સીધા દખલ આપશે.
આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન
ગુજરાતમાં બનાવાનાર સંગઠન મોડલની સફળતા પર આધાર રાખીને, કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પણ આ મોડલ લાગુ કરી શકે છે, તેમ પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસથી ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન શક્ય બને તેવા સંકેત રાજકીય વર્તુળો આપી રહ્યા છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






