મહાશિવરાત્રિની થશે સોમનાથમાં ઉજવણી, આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો કરાવશે પ્રારંભ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે.

-> વિવિધ કાર્યક્રમનું આયોજન :- 24 થી 26 ફેબ્રુઆરી સુધી કલા દ્વારા આ આરાધનાનો અલૌકિક ઉત્સવ ઉજવવામાં આવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સાંજે સંગમ આરતી, વાઘમ-નાદસ્ય યાત્રા ઉપર પ્રદર્શન પણ યોજાશે. તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે.

-> વિશેષ બસ દોડશે :- આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા માટે એક્સ્ટ્રા બસ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે.…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *