મહાશિવરાત્રિની થશે સોમનાથમાં ઉજવણી, આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો કરાવશે પ્રારંભ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે.

-> વિવિધ કાર્યક્રમનું આયોજન :- 24 થી 26 ફેબ્રુઆરી સુધી કલા દ્વારા આ આરાધનાનો અલૌકિક ઉત્સવ ઉજવવામાં આવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સાંજે સંગમ આરતી, વાઘમ-નાદસ્ય યાત્રા ઉપર પ્રદર્શન પણ યોજાશે. તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે.

-> વિશેષ બસ દોડશે :- આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા માટે એક્સ્ટ્રા બસ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *