સુરતમાં આરોપી પોલીસ સકંજામાં, લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતમાં વધી રહેલા ગુનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. દુષ્કર્મ, લૂંટ, મારામારી જેવી ઘટના બની રહી હતી. જેમાં સુરતના પુણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે કેસનો મુખ્ય આરોપી પકડાયો છે.પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જે લૂંટારુઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

મળતી માહિતી મુજબ, આરોપી મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ઢસડીને લઈ ગયો હતો અને જ્યાં નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, પોલીસની ઓળખ આપીને લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં તરખરાટ મચાવ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

પાપ્ત વિગતો મુજબ, ભોગબનનાર દંપતીના ત્રણ વર્ષ અગાઉ જ લગ્ન થયા હતાં. જેઓ પુણા વિસ્તારમાં કારખાનામાં કરતા હોવાથી અહીં જ ભાડાના મકાનમાં રહેતા હતાં.ભોગ બનનાર મહિલાનું મેડિકલ ચેકઅપ કરવવામાં આવતા જાણવા મળ્યું છે કે, મહિલા પર એકથી વધુ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે.ત્યાર બાદ પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Related Posts

આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!

આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *