લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્વસ્થ થતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની બહાર આવતા જ માયાભાઈ આહીરે કહ્યું કે, હું એકદમ સ્વસ્થય છું.

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું હતું કે, એપેક્ષ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું.દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતાનો સવાલ નથી. હું એક દમ સ્વચ્છ છું.

માયાભાઈ આહિર બે દિવસ પહેલા કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, તે દરમ્યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

Related Posts

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.…

ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પાસ: આતંકવાદી ગુનાઓ હવે BNS હેઠળ

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સુધારા સાથે રાજ્યના GUJCTOC કાયદામાંથી આતંકવાદ સંબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *