લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્વસ્થ થતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની બહાર આવતા જ માયાભાઈ આહીરે કહ્યું કે, હું એકદમ સ્વસ્થય છું.

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું હતું કે, એપેક્ષ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું.દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતાનો સવાલ નથી. હું એક દમ સ્વચ્છ છું.

માયાભાઈ આહિર બે દિવસ પહેલા કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, તે દરમ્યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

Related Posts

“અંતરિક્ષમાં ભારતની ગગનચુંબી છલાંગ: ISRO ના આગામી મિશનો બદલશે ભવિષ્ય!”

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરીને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ચંદ્રયાન, મંગળયાન, આદિત્ય-L1 અને અનેક સફળ ઉપગ્રહ મિશનો બાદ હવે…

“ફૂડ, ફન અને શોપિંગ! અમદાવાદના સૌથી મોટા ફેસ્ટિવલ માટે થઈ જાઓ તૈયાર.”

અમદાવાદ શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત ભોજન, આધુનિક જીવનશૈલી અને વેપાર માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ સાંસ્કૃતિક, વેપારી અને મનોરંજનના કાર્યક્રમો યોજાતા રહે છે,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *