સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

-> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

-> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો હતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા હતાં. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી હતી.

Related Posts

ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ઘેરાવો, આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ઉપરના વાતાવરણ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ સાથે મોન્સૂન ટ્રફ પણ જોડાયેલી હોવાથી મધ્ય અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિને વેગ મળી શકે છે. 10થી 12 ઓગસ્ટ વચ્ચે વરસાદનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *