સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો આતંક, વધુ એક યુવાને આપઘાત કર્યો

B INDIA સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી છે. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

-> દવા પીને જીવન ટુંકાવ્યું :- વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

-> વ્યાજખોરોનો ત્રાસ :- મળતી માહિતી મુજબ વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો હતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા હતાં. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી હતી.

Related Posts

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ, જાણો વિગત

અમદાવાદ : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કર્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં…

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદ્યુમન વાજા સાંજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *