B INDIA કચ્છ : કચ્છમાં સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષે ચૂકાદો આપ્યો છે. તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે. ભુજ કોર્ટે 41 વર્ષે આ ચૂકાદો આપ્યો છે,સાથે-સાથે વર્ષ 1984માં ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસમાં ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો છે,કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો 41 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં આજે કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે.
1984માં કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.આ સમગ્ર કેસમાં મુખ્ય ફરિયાદી ઇબ્રાહિમ શેઠનું મોત થઈ ચૂક્યું છે, તો ઇભલા શેઠના પરિવારજનોએ ચૂકાદાને આવકાર્યો છે અને રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી છે અને એકબીજાને મો મીઠું કરાવ્યું છે.
6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આવ્યો છે.






