મહેસાણામાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

B INDIA મહેસાણા : મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો હતો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

-> વિદ્યાર્થિનીનો આપઘાત :- ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી. કારણ કે દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

-> પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી :- રાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ત્યારે આ વિદ્યાર્થિનીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.

Related Posts

માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ…

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *