અમદાવાદમાં યોજાશે મિલેટ મહોત્સવ, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીનાં રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.

-> વિવિધ ખેત પેદાશો જોવા અને ખરીદવા મળશે :- રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે.

-> બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન :- વિવિધ પ્રકારના મિલેટ આધારિત સ્નેક્સ, મીઠાઈ, મિલેટ ફ્લોર, શરબત, રેડી ટુ ઇટ મિલેટ પ્રોડક્ટ્સ, મિલેટ બિસ્કીટ્સ, ખાખરા, મમરા, કુકીઝ, પાપડી, મિલેટ નૂડલ્સ, પાસ્તા, ઉપમા, પૌઆ, પાપડ, દલિયા ઓર્ગેનિક મિલેટ, મિલેટ ફિંગર જેવા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.વધુમાં, ૨૫ જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *