અમદાવાદમાં યોજાશે મિલેટ મહોત્સવ, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીનાં રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.

-> વિવિધ ખેત પેદાશો જોવા અને ખરીદવા મળશે :- રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે.

-> બાગાયતી પાકો સહિતના વિષયો પર માર્ગદર્શન :- વિવિધ પ્રકારના મિલેટ આધારિત સ્નેક્સ, મીઠાઈ, મિલેટ ફ્લોર, શરબત, રેડી ટુ ઇટ મિલેટ પ્રોડક્ટ્સ, મિલેટ બિસ્કીટ્સ, ખાખરા, મમરા, કુકીઝ, પાપડી, મિલેટ નૂડલ્સ, પાસ્તા, ઉપમા, પૌઆ, પાપડ, દલિયા ઓર્ગેનિક મિલેટ, મિલેટ ફિંગર જેવા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.વધુમાં, ૨૫ જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને મિલેટની અનેકવિધ વાનગીઓ જેવી કે, મિલેટ ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સૂપ, ગુલાબજાંબુ, લાડું, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, ક્રિસ્પી મિલેટ, ભાખરી, હાંડવો, પાણીપુરી, ખાખરા, સુખડી, લાપસી, ખીચડી, રોટલા, પાપડ, સેવ મમરા, ચવાણું, લિટલ મિલેટ, ફોક્સટેલ મિલેટ, બાન્યાર્ડ મિલેટ, વફલ્સ, મોમોઝ, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવા મળશે.

Related Posts

સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *