હવામાન વિભાગની નવી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

-> કયાં કેટલું તાપમાન ? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે, તો અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે,આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધી શકે છે,અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.દરિયા કિનારે 45 થી 55 km/hની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

-> ઠંડી સાથે માવઠાનું અનુમાન :- હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે. સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે. માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.

Related Posts

નાણાં વિભાગમાં 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશ

રાજ્યના નાણાં વિભાગે હિસાબી કેડરના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા હિસાબનીશ વર્ગ-3ના 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે જ તેમની રાજ્યના…

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોને માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *