હવામાન વિભાગની નવી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

-> કયાં કેટલું તાપમાન ? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે, તો અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે,આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધી શકે છે,અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.દરિયા કિનારે 45 થી 55 km/hની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

-> ઠંડી સાથે માવઠાનું અનુમાન :- હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે. સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે. માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.

Related Posts

પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો…

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *