અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ, પોલીસે તમામ લોકોનાં નિવેદન લેશે

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ થઈ જાઉ, કારણ કે, ગુજરાત પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. તેમજ તેઓ પાસેથી એજન્ટોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાશે.

-> અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓનાં લેવાશે નિવેદન :- મહત્વનું છે કે, અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ બે દિવસ પહેલા જ પોતાનાં વતન પરત આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા હવે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને નિવેદન નોંધવા માટે બોલાવાશે. તેમજ તેઓનાં નિવેદન મારફતે પોલીસ એજન્ટોની માહિતી મેળવશે. તેમજ પોલીસ દ્વારા ગેરકાદયેસર રીતે તેઓને અમેરિકા મોકલનાર એજન્ટોની માહિતી એકત્રિત કરવામાં આવશે.

સૌ પ્રથમ અમદાવાદમાં એજન્ટો સામે જાણવા જોગ દાખલ થશે. તેમજ અમદાવાદમાં દાખલ થનાર જાણવા જોગનાં આધારે 33 લોકોના નિવેદન લેવાશે. તેમજ નિવેદનમાં નાના બાળકોને બાકાત રાખવામાં આવશે. તેમજ ક્રિમીનલ રોલ સામે આવશે તો તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરાશે.

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *