રાજકોટથી GSRTCની વોલ્વો બસ જશે મહાકુંભના મેળામાં, સમગ્ર પેકેજની આ રહીં માહિતી

B INDIA રાજકોટ : પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટવાસીઓએ પણ એસ.ટી. વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે બસ મુકવામાં આવે તેવી માંગ કરી હતી. તેથી લોકલાગણીને માન આપીને આવતીકાલથી એટલે કે 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજકોટથી પ્રયાગરાજ ખાતે જવા માટે એસટી વોલ્વો બસનો શુભારંભ કરવામાં આવશે.

-> મહાકુંભ માટેનું પેકેજ :- રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસનું વ્યક્તિ દીઠ રૂ.8,800/- ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે હવે બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પર જઈને તમે રાજકોટથી પ્રયાગરાજ જવા માટેની વોલ્વો બસના પેકેજનું બુકિંગ કરાવી શકો છો. GSRTCની વધુ પાંચ બસો દોડાવવામાં આવશે. જે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લઈ જશે. મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ ખાતેથી ઉપડનાર વોલ્વો બસોના મુસાફરોને પહેલી અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારાણ ખાતે કરવામાં આવશે. જ્યારે આ પેકેજમાં પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે જ કરવાની રહેશે. જો તમે બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરાવશો તો 1% બુકિંગ ચાર્જ વસુલવામાં આવશે.

Related Posts

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…

ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની વોલ સ્ટ્રીટ જર્નલ’ના લેખમાં ટીકા કહ્યું ‘ઇતિહાસનું સૌથી મૂર્ખ વેપાર યુદ્ધ’

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદી દીધા છે. તેમના નિર્ણય પર દુનિયાભરના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ‘વોલ સ્ટ્રીટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button