ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી,રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી,ભાવનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે.અગાઉ માવઠું થવાની આગાહી અપાઈ હતી. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી.

Related Posts

કિરેન રિજિજુ : સંસદમાં તમામ મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર, વિપક્ષ હંગામો ન કરે: કિરેન રિજિજુનું મોટું નિવેદન Constructive Debate

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર સંસદમાં તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષે હંગામો કર્યા વિના સંસદીય પ્રક્રિયામાં સહકાર આપવો જોઈએ. સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદમાં દેશના મહત્વપૂર્ણ અને જનહિત સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જોકે, ચર્ચા માટે સંસદનું કામકાજ શાંતિપૂર્ણ રીતે ચાલવું જરૂરી છે અને વિપક્ષે હંગામો કરીને કાર્યવાહી ખોરવવી ન જોઈએ. કિરેન રિજિજુના નિવેદનથી ફરી એકવાર સંસદની કાર્યવાહી, સરકાર અને વિપક્ષ વચ્ચેના સંવાદ તથા સંસદીય લોકશાહીમાં ચર્ચાની ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. સરકારનું કહેવું છે કે સંસદ એ…

Engineering Marvel On Tapi River 2026: સિંચાઈથી લઈને વીજ ઉત્પાદન સુધી Dynamic Progress

River ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. જાણો ઉકાઈ ડેમનો ઇતિહાસ, જળસંગ્રહ ક્ષમતા, સિંચાઈ વિસ્તાર, વીજ ઉત્પાદન અને પીવાના પાણીમાં તેનું મહત્વ. ગુજરાતની સ્થાપના પહેલાંથી જ રાજ્યના જળસંચય અને સિંચાઈ વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે આયોજન શરૂ થઈ ગયું હતું. વર્ષ 1949થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આજે દાયકાઓ બાદ પણ ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના દક્ષિણ ગુજરાત માટે માત્ર એક જળાશય કે ડેમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સિંચાઈ, વીજ ઉત્પાદન, પીવાના પાણી, ઔદ્યોગિક જળ પુરવઠો અને પૂર નિયંત્રણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામ પાસે આવેલી આ યોજના રાજ્યની જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ખાસ કરીને સુરત,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *