પોરબંદર: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોખીરામાં સ્કૂલને ઇમેઇલ કરનારની શોધખોળ શરૂ

B INDIA પોરબંદર : પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા INS સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. ત્યાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ધમકી ભર્યા ઇમેઇલના પગલે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું,. અને ઇમેઇલ મોકલનારની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, 31 જાન્યુઆરીના રોજ સ્કૂલના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. અને તે બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરત ફેલાવી રહ્યો છે. ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અને વિગતવાર તપાસ હાથ ધરી હતી. જોકે, કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. નેવીએ પણ તકેદારી વધારી દીધી છે. સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નેવી અને કોસ્ટ ગાર્ડનું મુખ્ય મથક પોરબંદરમાં હોવાથી, આ ધમકીને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. પોલીસે ઈમેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવા અને તેના સ્થાન સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *