સુરતમાં સગીરાનો આપઘાત, પ્રેમી સાથે જોઈ જતા મોટાભાઈએ આપ્યો હતો ઠપકો

B INDIA સુરત :  આજ કાલના આ યુવાનોને થયું શું છે. માતા- પિતા થોડો ઠપકો શું આપે ને યુવાનો મોતને વ્હાલું કરી લે છે. આવી જ એક ઘટનાં સુરતમાં બની છે. જ્યા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય કિશોરીના પ્રેમ સંબંધોની જાણકારી પરિવારને થઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ કિશોરીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઇને કિશોરીને લાગી આવતાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.નાની ઉંમરના વ્યક્તિઓ આપઘાત તરફ વધી રહ્યા છે.

ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં 15 વર્ષની દીકરી મીલા હિરાભાઇ બિલવાડ નજીકમાં જ રહેતા એક યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ પ્રેમ સંબંધને લઈને તેઓ રોજ ફોન પર વાત કરવા સાથે મળતા હતા. પરિવારમાં મોટાભાઈ કિશોરીને પ્રેમી સાથે મળતા સમયે જોઈ ગયા હતા. તે બાબતે ઠપકો આપ્યો હતો.

અને પોતાના અભ્યાસ તરફ ધ્યાન આપવાનું કીધું હતું. આ વાતનું લાગી આવતા આ કિશોરી ઘરમાં કોઈ નહોતું તે સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. જો કે, ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવા દોડી ગયું હતું. અને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. અને ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ બાદ લીઝ કરાર રદ, જાણો શું છે સરકારનો નિર્ણય.

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ પછી લીઝ રિન્યુ નહીં કરવાનો સરકારનો માસ્ટરપ્લાન – આઈટી હબના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? ગાંધીનગર: રાજ્યના આઈટી અને કોર્પોરેટ જગતનું કેન્દ્ર ગણાતી ગાંધીનગરની ઈન્ફોસિટી અંગે ગુજરાત સરકારે અત્યાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *