સુરતમાં સગીરાનો આપઘાત, પ્રેમી સાથે જોઈ જતા મોટાભાઈએ આપ્યો હતો ઠપકો

B INDIA સુરત :  આજ કાલના આ યુવાનોને થયું શું છે. માતા- પિતા થોડો ઠપકો શું આપે ને યુવાનો મોતને વ્હાલું કરી લે છે. આવી જ એક ઘટનાં સુરતમાં બની છે. જ્યા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય કિશોરીના પ્રેમ સંબંધોની જાણકારી પરિવારને થઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ કિશોરીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઇને કિશોરીને લાગી આવતાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.નાની ઉંમરના વ્યક્તિઓ આપઘાત તરફ વધી રહ્યા છે.

ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં 15 વર્ષની દીકરી મીલા હિરાભાઇ બિલવાડ નજીકમાં જ રહેતા એક યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ પ્રેમ સંબંધને લઈને તેઓ રોજ ફોન પર વાત કરવા સાથે મળતા હતા. પરિવારમાં મોટાભાઈ કિશોરીને પ્રેમી સાથે મળતા સમયે જોઈ ગયા હતા. તે બાબતે ઠપકો આપ્યો હતો.

અને પોતાના અભ્યાસ તરફ ધ્યાન આપવાનું કીધું હતું. આ વાતનું લાગી આવતા આ કિશોરી ઘરમાં કોઈ નહોતું તે સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. જો કે, ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવા દોડી ગયું હતું. અને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. અને ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *