ગુજરાતમાં ફરી ઘેરાશે વાદળો, અંબાલાલ પટેલની ભારે પવન, માવઠાની આગાહી

B INDIA : ગુજરાતના હવામાન અંગે નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા સાથેની આગાહી કરવામાં આવી છે શિયાળુ પાક તૈયાર થઈ જવાની સ્થિતિમાં છે તેવા સંજોગોમાં વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી બાજુ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અનેક લગ્નના મુહૂર્ત પણ છે જેના કારણે લગ્નવાળાના ઘરોમાં પણ ચિંતા છવાઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે બેથી પાંચ ફેબ્રુઆરી ગુજરાતના વાતવાતમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની શકયતા રહેશે. માવઠા અને કરા માટેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે. બેથી ત્રણ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, જામનગરના કેટલાક ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. આ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, કપડવંજ, પંચમહાલ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા રહેશે. ઉતર ગુજરાતના સાબરકાંઠામાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. કેટલાક ભાગોમાં 10થી 20 મિલિમિટર વરસાદ થવાની શકયતા રહેશે.

મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદ થશે. જેની અસર ગુજરાત સુધી થશે અને ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે.

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *