બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા

-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે :

-> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને એક વર્ષનો બાળક સામેલ છે. SDRF એ બાકીના લાપતા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.

-> ગંગાના જોરદાર પ્રવાહને કારણે બચાવમાં મુશ્કેલી :- રાહત અને બચાવ કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે.. કે, જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે ગુમ થયેલા લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર લોકો ખેતીકામ કરવા માટે ડાયરા વિસ્તારમાં જઈ રહ્યા હતા. પરંતુ નદીના મોજાએ તેમની સવારીને શોકમાં ફેરવી દીધી. ગુમ થયેલા લોકોના પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો છે. બોટ અકસ્માતમાં બચાવાયેલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ ગ્રામજનોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો અને બચાવ કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો. આ અકસ્માતે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *