સુરતમાં સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયુ પ્લેટફોર્મ.

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું તો ઘરબેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનો પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે તે ગૃહિણીઓ ઘર બેઠા કઈ ને કઈ નાના મોટા કામ ધંધા કરે છે તેમને પણ આપને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અહીં તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર .કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સમાજ દ્વારા કંઈક નવો રાહ ચિંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 

 

જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું કે અમારા આ એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન નો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશન ની મુલાકાતે આવ્યા છે ત્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારીઓ ઉદ્યોગકારોને તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજીવાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *